જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ
આ જુનુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરો અને જૂની યાદો તાજી કરો સરસ મજાનુ લગભગ 20 વર્ષ પહેલાનું ધોરણ 1 નુ ગુજરાતી નુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ Download
જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ
આ જુનુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરો અને જૂની યાદો તાજી કરો સરસ મજાનુ લગભગ 20 વર્ષ પહેલાનું ધોરણ 1 નુ ગુજરાતી નુ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
જૂનું ગુજરાતી પાઠ્યપુસ્તક પગલા મુજબ Download
અર્થગ્રહણ માટેના ફકરાઓ std 1 and 2
વાંચન અને લેખન ક્ષમતા સિદ્ધ કર્યા પછી બાળકની આ ક્ષમતાને વ્યવહારુ ઉપયોજન માટે ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે અને મૂળભૂત રીતે ભાષાનો વ્યવહારુ ઉપયોગ એ જ ભાષા શિક્ષણનો ઉદ્દેશ છે તેથી બાળકોની અર્થગ્રહણ ક્ષમતા વધારવા માટે વિવિધ ફકરાઓ નું મહાવરો કરવામાં આવે તો તેને ઘણી બધી અભિવૃદ્ધિ કરી શકાય છે આ માટે વિવિધ ફકરાઓ નું મટિરિયલ્સ માટે ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો
અર્થગ્રહણ માટેના ફકરાઓ std 1 and 2 Download
એકડી અંક જ્ઞાન અને ઘડિયા માટેના કાર્ડ
ધોરણ એક અને બે માં તેમજ ગણન ક્ષમતામાં નબળા વિદ્યાર્થીઓ માટે વારંવાર અંક જ્ઞાન અને ઘડિયાના મહાવરા માટે વિવિધ કાર્ડ અને મટીરીયલ્સ માટે નીચે ક્લીક કરો Download
ધોરણ-૧ અને ૨ માટે તેમજ ગણન ક્ષમતામાં નબળા બાળકો માટે સંખ્યાજ્ઞાન, સરવાળા ,બાદબાકી તેમજ અન્ય અર્થગ્રહણ સાથે ના કોયડા ઉકેલવા માટે નું મટેરિયલ્સ
ગણન ક્ષમતા માટેનું મટીરીયલ્સ Download
ધોરણ 1 અને 2 વાંચન ક્ષમતામાં નબળા બાળકો માટે તેમને બહુ જ સહેલાઇથી અને વારંવાર દ્રઢીકરણ સ્વરૂપના અધ્યયન અનુભવ આપીને શીખવવા માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે જે પ્રજ્ઞા અભિગમ અનુસંધાને ગોઠવવામાં આવેલા છે
વાચન ક્ષમતા કાર્ડ Download
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
National means cum merit scholarship scheme
દર વર્ષે સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યકક્ષાએ NMMS ની પરીક્ષા લેવામાં આવે છે જે અંતર્ગત બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક નો ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષણ મંત્રાલય દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જે ગુજરાતની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે જેની બધી માહિતિ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર બોર્ડ ગાંધીનગર ની વેબસાઇટ www.gsebexam.org પર છે.આ યોજનાની માટે શિષ્યવૃતિ માટે ના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા આ પરીક્ષા યોજવામાં આવે છે
વિદ્યાર્થી ની લાયકાત
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠ માં સરકારી પ્રાથમિક શાળાઓ શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરીના તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીઓ એ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવો જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ મેળવેલ હોવો જોઈએ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધુના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ખાનગી શાળાઓ ,પ્રાઇવેટ શાળા, કેન્દ્રીય વિદ્યાલય જવાહર ,નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્યની સરકારી સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળા ના વિદ્યાર્થીઓ આવેદનપત્ર ભરી શકશે નહી. આ પરીક્ષા આપવા માટે પરીક્ષા ફી દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે ચૂકવવાની હોય છે
NMMS ની જાહેરાત ,નોટીફીકેશન ૨૦૨૦ Download
NMMS માટે બૂક ડાઉનલોડ કરો.
NMMS Exam Question paper 2011 Download
NMMS Exam Question paper 2012
NMMS Exam Question paper 2013 Download
NMMS Exam Question paper 2014 Download
NMMS Exam Question paper 2015 Download
NMMS Exam Question paper 2016 Download
NMMS Exam Question paper 2017 Download
NMMS Exam Question paper 2018 Download
NMMS Exam Question paper 2019 Download
NMMS Exam Question paper 2021 Download
NMMS માટે પેપરની આન્સરકી ડાઉનલોડ કરો.
NMMS ANSWER KEY -2012 Download
NMMS ANSWER KEY -2013 Download
NMMS ANSWER KEY -2015 Download
NMMS ANSWER KEY -2016 Download
NMMS ANSWER KEY -2017 Download
NMMS ANSWER KEY -2018 Download
NMMS ANSWER KEY -2019 Download
NMMS ANSWER KEY -2021 Download
NMMS પરીક્ષા ની રૂપરેખા જોઈએ તો 180 ગુણનુ ના પ્રશ્નપત્ર આવે છે જેની અંદર 180 પ્રશ્નો હોય છે જેના માટે ત્રણ કલાક જેટલો સમય આપવામાં આવે છે એટલે કે એક પ્રશ્ન માટે એક મીનીટ આપવામાં આવે છે
આ પરીક્ષામાં બે વિભાગ હોય છે પ્રથમ વિભાગમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક આર્થિક ગણતરી ના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ,વર્ગીકરણ ,સંખ્યાત્મક શ્રેણી ,પેટન કૃતિની વગેરેનો સમાવેશ થાય છે જે ના પ્રશ્નો 90 રહેશે અને તેના 90 ગુણ છે અને તે માટેની મિનિટનો સમય મળશે
બીજો વિભાગ શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો માં ધોરણ 7 અને ધોરણ 8 ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષય નો સમાવેશ થશે જેમાં ધોરણ સાત , આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક ના બહુવિકલ્પ પ્રશ્નો પુછવામાં આવશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે જ્યારે ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષાનો માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમ નું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ છે આ કસોટીના મૂલ્યાંકન માં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે તમે કોઈ ખોટો જવાબ આપો છો તો એના ગુણ કપાશે નહી પરંતુ આપ જે જવાબ આપેલા છે તેના સાચા જવાબ નું કુલ ટોટલ થશે
આ પરીક્ષામાં વિદ્યાર્થીને રાજ્યના મેરીટમાં આવવાથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જેની અંદર દર વર્ષે ૧૨ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે કે દર વર્ષે બાળકને 12000, ધોરણ-૯માં 12000 ,ધોરણ 10માં 12000 ,ધોરણ 11માં 12000, ધોરણ 12 ની અંદર 12000 ,એટલે કે કુલ 48000 રૂપિયા મળવાપાત્ર થશે . આ શિષ્યવૃત્તિ જો વિદ્યાર્થી સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે તો જ મળવાપાત્ર છે જો વિદ્યાર્થી ખાનગી પ્રાઇવેટ શાળામાં ધોરણ 9, 10, 11, 12 માં અભ્યાસ કરે તો આ શિષ્યવૃત્તિ મળતી નથી.
આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ઓનલાઇન ભરેલ આવેદનપત્ર ની પ્રિન્ટ સાથે આ પ્રમાણેના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે . ફી ભરવા નું ચલણ, આવકના દાખલાની પ્રમાણિત નકલ ,ધોરણ સાત ની માર્કશીટ ,જાતિ અંગેના પ્રમાણિત પ્રમાણપત્રની નકલ, વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ
દરેક વિદ્યાર્થી રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઈટ www.gsebexam.org ઉપર ઓનલાઈન આવેદન પત્ર ભરીને શાળાએ ભરાયેલા તમામ online આવેદન પત્રો ઉપર આચાર્યના સહી-સિક્કા કરી જરૂરી આધારો અને પ્રમાણપત્રો સાથે સમય મર્યાદા માં આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી માં જમા કરાવવાના રહેશે
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા
ભારત વિકાસની ગાથા દિનપ્રતિદિન ચાલુ રહે એટલા માટે ભારત સરકાર દ્વારા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકો માટે તેમના વિકાસ માટે પૂરતું વાતાવરણ મળે તે માટે જવાહર નવોદય વિદ્યાલય ની સ્થાપના કરવામાં આવી આ યોજના અંતર્ગત સમગ્ર દેશ કક્ષાએ તેની પસંદગીની પરીક્ષા લેવામાં આવે છે અને તેમાંથી પસંદ કરેલા વિશેષ પ્રતિભા વાળા બાળકોને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ આપવામાં આવે છે
દર વર્ષે પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ માં ભણતા બાળકો આપી શકે છે તેની અંદર ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર હોય છે જેમાં ત્રણ વિભાગ હોય છે પ્રથમ વિભાગમાં માનસિક યોગ્યતા ની પરીક્ષા હોય છે જેમાં ૪૦ પ્રશ્ન 50 ગુણ હોય છે એટલે કે એક પ્રશ્નનો 1.25 ગુણ હોય છે બીજો વિભાગ અંક ગણિત નો હોય છે જેમાં ૨૦ પ્રશ્નો હોય છે તેના 25 ગુણ હોય છે જેમાં પણ દરેક પ્રશ્નનો 1.25 ગુણ હોય છે તે જ રીતે ત્રીજો વિભાગ ભાષાનો હોય છે જેમાં ગુજરાતી ભાષાના ફકરા આપેલા હોય છે જેના આધારે અર્થગ્રહણની ક્ષમતાની ચકાસણી દ્વારા મૂલ્યાંકન થાય છે જેમાં ફકરા આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં ૨૦ પ્રશ્ન માટે 25 ગુણ રાખવામાં આવેલા છે જેમાં પણ એક પ્રશ્નના 1.25 ગુણ હોય છે
સમગ્ર કસોટી માટે બે કલાકનો સમય આપવામાં આવે છે આ કસોટીમાં નેગેટીવ માર્કીંગ રાખવામાં આવેલું નથી એટલે કે જો તમે ખોટો જવાબ આપો તો કોઈ માર્ક કપાતો નથી પણ તમે જેટલા સાચા જવાબ આપેલા હોય તેના જ ગણવામાં આવે છે પ્રત્યેક પ્રશ્નને ઉકેલવા માટે અંદાજે દોઢ મિનિટ લાગે છે એમ માની લેવામાં આવે છે માટે ઉમેદવારોએ એક જ પ્રશ્ન માટે વધારે સમય વેડફવો નહીં જો કોઈ પ્રશ્ન અઘરો લાગે તો તેનો ઉકેલ માટે સમય ન બગાડતા આગળના પ્રશ્ન પર ધ્યાન આપવું ત્યારબાદ તમામ પ્રશ્નો ઉકેલ્યા બાદ બાકી રહેલા પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરવો આમ કરવાથી સમયની બચત થાય છે સંપૂર્ણ પરીક્ષા નો સમય ગાળો કુલ બે કલાકનો હોય છે જેમો કોઈ વિરામ હોતો નથી ઉમેદવારો કુલ સમયને ગમે તે પ્રમાણે ગોઠવી શકે છે છતાં તેમણે ત્રણેય પરીક્ષાઓમાં એટલે કે વિભાગમાં અલગ અલગ રીતે પાસ થવું જરૂરી હોવાથી ફાળવવામાં આવેલ આ સમયને વળગી રહેવું જોઈએ
DATE 11-8-2021 ના રોજ નુ નવોદય પેપર નુ સોલ્યુશન Download
નવોદય પરીક્ષા વર્ષ 2019 નુ પ્રશ્ન પેપર Download
નવોદય પરીક્ષા વર્ષ 2019 નુ પ્રશ્ન પેપરનુ સોલ્યુશન Download
નવોદય પરીક્ષા માટે નમુનાની OMR SHEET DOWNLOAD
નવોદય પરીક્ષા વર્ષ 2020 નુ પ્રશ્ન પેપર DOWNLOAD
નવોદય પરીક્ષા નુ તમામ મટિરિયલ્સ Download
વિભાગ-1 માનસિક યોગ્યતા પરીક્ષા (કુલ ગુણ 50, કુલ પ્રશ્ન 40)
નવોદય વિદ્યાલય ની પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રમાં માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગ માં કુલ ૪૦ પ્રશ્નો હોય છે આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિઓ ના જ હોય છે આ પરીક્ષાનો હેતુ ઉમેદવારની સુષુપ્ત દક્ષતા નો બુદ્ધિનો માપ કાઢવા નો હોય છે આ વિભાગ કુલ દશ ખંડોમાં વિભાજિત હોય છે દરેક ખંડમાં ચાર ચાર પ્રશ્નો હોય છે આ દરેક ખંડમાં જોઈએ તો અલગ અલગ પદ શોધો, આબેહૂબ આકૃતિ નક્કી કરો, આકૃતિ પૂર્ણ કરો , માલિકા પૂર્ણ કરો ,સમાન સંબંધિત શોધો , ભૌમિતિક રચના પૂર્ણ કરો , અરીસા મોની પ્રતિબિંબ શોધો , ગડી કરો અથવા ખોલો , અવકાશ કલ્પના કરો , છુપાયેલી આકૃતિ શોધો આ રીતે વિવિધ આકૃતિઓ દ્વારા વિદ્યાર્થીની બુદ્ધિ ક્ષમતા અને બુદ્ધિ આંક તપાસવામાં આવે છે
વિભાગ ૨ અંક ગણિત
આ વિભાગમાં કુલ કુલ ૨૦ પ્રશ્ન માટે 25 ગુણ રાખવામાં આવેલા છે આ ગણિતના વિભાગ માં પૂછાયેલા પ્રશ્નો નો ઉદ્દેશ ઉમેદવારની ગાણિતિક મૂળભૂત દક્ષતા અને કુશળતા ની સાથે સાથે તેનું વ્યવહારમાં ઉપયોજન ને તપાસવાનું પ્રાધાન્ય રાખવામાં આવેલું છે જેમો આ મુજબના ગાણિતિક મુદ્દાઓનો મૂલ્યાંકન કરવાનું રાખવામાં આવેલું છે જેવા કે સંખ્યાજ્ઞાન ,મૂળ પૂર્ણ સંખ્યા ની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ ,તેવી જ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પર ની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ ,અવયવ અને ગુણક, ,દશાંશ અપૂર્ણાંક પરની મૂળભૂત ક્રિયાઓ વ્યવહારિક અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક માં અને દશાંશ અપૂર્ણાંક નું વ્યવહારિક અપૂર્ણાંક માં રૂપાંતર, લંબાઈ, ક્ષેત્રફળ, પરિમિતિ ,સમય, ચલણ ,રાશિ નું માપન, અંતર, સમય અને ગતિ ,અંદાજીકરણ, સંખ્યાત્મક પદાવલી નું સાદુ રૂપ, ટકાવારી અને તેનો ઉપયોગ, નફો ખોટ ,સાદુ વ્યાજ ,પરિમિતી, ક્ષેત્રફળ અને ઘનફળ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે આ રીતે વિદ્યાર્થીની ગાણિતિક ક્ષમતા ચકાસવામાં આવે છે
વિભાગ ૩ ભાષા ગુજરાતી
આ વિભાગમાં કુલ ૨૦ પ્રશ્નો હોય છે જેના માટે ૨૫ ગુણ રાખવામાં આવેલા છે અને આ વિભાગમાં વિદ્યાર્થીની ભાષાકીય અર્થગ્રહણ ક્ષમતા ચકાસવાનુંરાખવામાં આવેલું હોય છે જેની અંદર વિદ્યાર્થી આ ફકરાને વાંચીનેતેને સમજીને તે મુજબના પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે છે જેથી તેની અર્થગ્રહણ ક્ષમતા વાંચનનું આકલન કરવાની ક્ષમતાની ચકાસણી કરી શકાય આ માટે વારંવાર વાંચન કરવું ખૂબ જરૂરી છે
અરજી કેવી રીતે કરવી
જવાહર નવોદય વિદ્યાલય માટેની પાત્રતા નીચે પ્રમાણે છે
સર્વ ઉમેદવારો માટે પાંચમું ધોરણ પાસ કર્યા પછી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ એક પરીક્ષા એટલે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવી પડે છે આ પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી ગુણના આધારે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે
જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય નું અસ્તિત્વ હોય તે જિલ્લામાં ઉમેદવારને પ્રવેશ પાત્ર ગણાય છે
ઉમેદવારને જિલ્લામાં માન્યતાપ્રાપ્ત શાળામાં પાંચમા ધોરણમાં ભણતો હોય તે જ જિલ્લામાં પસંદગી પરીક્ષા મા તે બેસી શકે છે
પ્રવેશ મેળવનાર ઉમેદવારની ઉંમર તે વર્ષના મે મહિનામાં નવ વર્ષ કરતા ઓછી અથવા 13 વર્ષ કરતાં વધુ હોવી ન જોઈએ આ શરત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત સર્વ ઉમેદવારોને લાગુ પડે છે
પ્રવેશ મેળવનાર ઉમેદવાર પ્રવેશ મેળવતા પહેલા ત્રણ વર્ષમાં અનુક્રમે ત્રીજું ચોથું અને પાંચમું ધોરણ શાસનમાં માન્ય શાળામાં પ્રત્યેક વખતે પૂર્ણ વર્ષ ભણીને ઉત્તીર્ણ થયેલો હોવો જોઈએ
ઉમેદવાર કોઈ પણ પરિસ્થિતિમાં બીજી વખત પરીક્ષામાં બેસી શકશે નહીં
ગ્રામીણ ઉમેદવારો માટે
પ્રત્યેક જિલ્લામાં લગભગ ૭૫ ટકા ગ્રામીણ ભાગના ઉમેદવારો ને આપવામાં આવે છે બાકી ની જગ્યા જિલ્લાના શહેરી વિભાગ માંથી ભરવામાં આવે છે વિશેષ પરિસ્થિતિમાં રક્ષિત જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે ઇસ 2011ની જનગણના અનુસાર શહેરી અને ગ્રામીણ વિસ્તાર સમજવામાં આવે છે ઉમેદવારે ગ્રામીણ વિભાગમાંથી ત્રીજા ચોથા અથવા પાંચમા ધોરણ નું શિક્ષણ શાસન માન્ય શાળામાંથી તેમજ સર્વ શિક્ષા અભિયાન અથવા રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થા માં કર્યું હશે તો જ ગ્રામીણ જગ્યા માટે અરજી પર વિચાર કરવામાં આવશે
શહેરી ઉમેદવારો માટે
ઉમેદવારે ત્રીજા ચોથા અને પાંચમા ધોરણમાં થી એકાદ વર્ષ અથવા એક દિવસ જો શહેરી વિભાગ માં અધ્યયન કરેલું હશે શહેરી વિભાગ માંથી તે એકાદ ધોરણ ઉત્તર કરેલ હશે તો જ તેને શહેરી વિભાગ માં નો સમજવામાં આવે છે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા છોકરીઓ માટે અનામત જગ્યા
અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે તેવી જ રીતે છોકરીઓ માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે અન્ય કોઈપણ પછાત વર્ગીય માટે એટલે કે ઓબીસી માટે કે ભટકતી જનજાતિ માટે કે વિમુક્ત જાતિ માટે અનામત જગ્યા રાખવામાં આવતી નથી શારીરિક દ્રષ્ટિએ અપંગ બાળકો માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે
પ્રવેશ અરજી પત્ર ક્યાં મળે છે
www.navodaya.gov.in આ વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રવેશ પત્ર ભરી શકાય છે
પ્રવેશ અરજી પત્ર મોકલવાની વિધિ
www. navodaya.gov.in આ વેબસાઇટ ખોલી ને online પ્રવેશ અરજી પત્ર ભરી શકાય છે સંબંધિત કાગળ પત્ર અથવા ફોટો પણ ઓનલાઇન દ્વારા મોકલી શકાય છે પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયમાં ઓનલાઇન અરજી કરવાની સગવડ કરવામાં આવશે આ વેબસાઈટ ઉપર જ તેનું અરજી પત્ર તેમજ વિવિધ માહિતી જેવી કે હોલ ટિકિટ પરીક્ષાની નોટિફિકેશન વગેરે આજ વેબસાઇટ ઉપરથી મળી જશે
પસંદગી પરીક્ષા નું પરિણામ
આ પરીક્ષાનું પરિણામ જવાહર નવોદય વિદ્યાલય જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય, જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પુણે - ૨૯ કાર્યાલય તેમજ ઉપર ની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ આ વેબસાઈટ ઉપર પાંચમા ધોરણમાં આવ્યા પછી વારંવાર તપાસતા રહેવું તેમજ પ્રવેશ પત્ર ભર્યા પછી પણ હોલ ટિકિટ માટે તેમજ પરિણામ માટે તે સિવાય અન્ય કોઈ પણ નોટિફિકેશન માટે વારંવાર આ વેબસાઈટ ઉપર તપાસતા રહેવું કારણ કે નવોદય વિદ્યાલય તરફથી પરીક્ષા બાબતે કોઈપણ પત્ર વ્યવહાર કરવામાં લગભગ આવતો નથી તેથી સમગ્ર જાણકારી માટે આ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું જરૂરી છે.